બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર,ધમકીઓ અને આગ: સરસ્વતી પૂજા મંડપમાં તોડફોડ કરી માતાની મૂર્તિ તોડી...
- 16 Feb, 2024
બાંગ્લાદેશથી રોજ હિંદુઓ પર અત્યાચારના સમાચારો આવતા રહે છે. એવામાં ફરી એકવાર આવા જ સમાચારો સામે આવ્યા.જેમાં એક જગ્યાએ કેટલાક બદમાશોએ સરસ્વતી પૂજા મંડપ પર હુમલો કરીને માતાની મૂર્તિ તોડી નાખી હતી. જ્યારે એક કિસ્સામાં, કેટલાક ઇસ્લામવાદીઓએ હિંદુ પરિવારોને તેમના ઘર અને જમીન છોડી દેવાની ધમકી આપી હતી.
અન્ય એક કિસ્સામાં પણ સરસ્વતી પૂજા મંડપ તોડી પાડવાના મુદ્દે હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આટલું જ નહીં, એક વિસ્તારમાં કેટલાક બદમાશોએ એક હિન્દુના ઘરને આગ પણ લગાવી દીધી.
પહેલો કેસ બ્રાહ્મણબારિયા જિલ્લાના પાઈકપારા વિસ્તારનો છે. અહીં કેટલાક અજાણ્યા બદમાશોએ સરસ્વતી પૂજા મંડપ પર હુમલો કર્યો હતો. તેઓએ માતા સરસ્વતીની મૂર્તિ તોડી નાખી. આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી. જેના કારણે બાંગ્લાદેશના હિંદુઓમાં રોષ છે.
બીજી ઘટના પટુઆખલી જિલ્લાની છે. અહીં ઘુરચાકાઠી ગામમાં કેટલાક હિંદુ પરિવારોને બહાર કાઢવાની ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઇસ્લામવાદીઓ મુહમ્મદ હારુન અને અલ અમીને હિન્દુ પરિવારોને તેમના ઘર અને જમીન છોડી દેવાની ધમકી આપી હતી. તેઓ પૈસાની માંગણી કરી રહ્યા છે. તેમને દેશ છોડી જવાની ધમકી આપી હતી.
ત્રીજી ઘટના દિનાજપુર જિલ્લામાંથી સામે આવી છે. અહીં કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓએ બંશેરહાટ સ્થિત હાજી દાનેશ સાયન્સ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટીમાં સરસ્વતી પૂજા મંડપમાં તોડફોડ કરી હતી. જેના કારણે હિંદુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી અથડામણ થઈ હતી.
ચોથી ઘટના બાંગ્લાદેશના ફિરોઝપુર જિલ્લામાંથી સામે આવી છે. અહીં કેટલાક અજાણ્યા બદમાશોએ ડુમુરીતલા શરિકાતલા યુનિયનમાં હિન્દુ ઘરોને આગ લગાવી દીધી હતી. જેના કારણે સમીર સાહ અને કાલા સાહના ઘરો રાખમાં ફેરવાઈ ગયા હતા. સમીર સાહની દીકરીના લગ્ન થોડા દિવસો પછી નક્કી છે. આ ઘટનામાં બધું બળીને ખાખ થઈ ગયું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ